Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Monday, February 27, 2023

ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી છોટાઉદેપુર પોલીસ

૨૭/૦૨/૨૦૨૩

છોટાઉદેપુર જિલ્લામાં SBI ની સામે આવેલ સિલ્વર પ્લાઝા માં આવેલ દુકાનનું શટર તોડી અંદર પ્રેવશ કરી પ્લાસ્ટિક આઇટમોનો સરસામાન રાત્રે ચોરી થયાની ફરિયાદ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે અંગે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં પોલીસને મોટી સફળતા મળી જવા પામી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર સિલ્વર પ્લાઝામાં પઠાણ સલીમખાન યુસુફખાન દ્રારા  પ્લાસ્ટિક આઇટમ ની દુકાન સેલ તરીકે  ચાલતી હતી, જેમાં ઘર વપરાશ ની નાની-મોટી વસ્તુઓનો વેપાર કરીને તેમનું ગુજરાન ચલવતા હતા. જેમાં તા. ૨૫/૦૨/૨૦૨૩ ની રાત્રે સેલમાં બે ચોર દ્રારા શટર નું લોક તોડીને કિંમત આશરે એકાનું હજાર ચારસો નવ્વાણું (૯૧,૪૯૯/-) રૂ. નો પ્લાસ્ટીક સરસામાન ચોરી ગયા હતા.


જે તે બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં છોટાઉદેપુર પોલીસ દ્રારા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડીને ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને સુચના કરેલ.
જે અનુસંધાને શ્રી કે. એચ. સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર શ્રી એ.સી.પરમાર નાઓએ ગઇ તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર ટાઉન સિલ્વર પ્લાઝામાં દુકાનમાં થયેલ ચોરી બાબતે છોટાઉદેપુર પો.સ્ટે./એ પાર્ટ ગુ.ર. નં. ૧૧૧૮૪૦૦૨૨૩૦૧૮૮/૨૦૨૩ ઈ.પી.કો .કલમ. ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ તે ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ, જિલ્લા નેત્રમના સી.સી.ટીવી નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા સિલ્વર પ્લાઝામાં દુકાનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.


*પકડાયેલ ઈસમોના નામ અને સરનામા*

(૧) રાહુલભાઈ ઉર્ફે ગ્યાનપ્રસાદ મથુરપ્રસાદ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ નંગલાપુર તા. બર્તના જી. ઈટાવા ઉત્તરપ્રદેશ (UP)

(૨) પંકજભાઈ શિવદીશભાઈ રાજપુત, હાલ રહેઠાણ છોટાઉદેપુર સિલ્વર પ્લાઝા, તા. જી. છોટાઉદેપુર, મુળ રહેઠાણ દોલનપુર તા.જી. ઓરીયા ઉત્તરપ્રદેશ (UP)


*સારી કામગીરી કરનાર*

(૧) એ.સી.પરમાર પોલીસ ઈન્સપેક્ટર
(૨) પો.સ.ઈ એન. એફ. બારીયા
(૩) અ.હે.કો નરેશભાઈ નગીનભાઈ
(૪) અ.પો.કો અરવિંદસિંહ મકનસિંહ
(૫) અ.પો.કો ઉનડભાઈ રામાભાઈ
(૬) અ.પો.કો પરથીદાન ઉમરદાન
(૭) આ.પો.કો રોહીતકુમાર માનસંગભાઈ
(૮) આ.પો.કો મેહુલભાઈ ડાયાભાઈ
(૯) આ.પો.કો કલ્પેશભાઈ દશરથભાઈ



*અહેવાલ: યાકૂબરઝા પઠાણ*
"અર્બન મેટ્રો ન્યુઝ"
છોટાઉદેપુર
9173506392
છોટાઉદેપુર
🔊🔊🔊🔊🔊🔊🔊



 

Wednesday, February 22, 2023

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે આજરોજ એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસિબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા ના એસિબી પોલિસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. 4000/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોર ને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરે થી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટા ઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમ માં ચકચાર મચી ગયો છે.

રિપોર્ટર: ઇમરાન મિર્ઝા
કેમેરામૈન: યાકુબરઝા પઠાણ
છોટાઉદેપુર

Sunday, February 19, 2023

માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

કવાંટ બજારમાં આમ તેમ ભટકતી માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

 પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો તથા સી ટીમ ક્વાંટ બજારમાં પેટ્રોલીંગમાં  હતા તે દરમ્યાન ક્વાંટ બજારમાં માનસીક રીતે પીડાતી એક અસ્વસ્થ સ્ત્રી જેનો કોઇ વાલીવારસ ન હોય અને આમતેમ ભટકતી હોય તેની સારવાર કરાવી તેના વાલીવારસ શોધી કાઢી તેના પરિવારને સોંપવા સુચનાઓ કરતા ક્વાંટ પોલીસ સ્ટાફ તથા સી ટીમના માણસો મળી સદરી બેનને ક્વાંટ સરકારી દવાખાને સારવાર કરાવી તેની ઝિણવટ ભરી રીતે પુછપરછ કરતા તેને પોતાનુ નામ નોમલીબેન માત્ર યાદ હોય જે નામ તથા તેના ફોટા ના આધારે ક્વાંટ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓ તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલ ગામડાઓમાં જઈ તપાસ કરતા તેનુનામ નોમલીબેન સુરતાનભાઇ રૂપલાભાઇ રાઠવા રહે.કુમ્બી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર (મધ્યપ્રદેશ રાજ્ય) ની હોવાનુ જાણવા મળેલ અને તેના પરિવારમાં હાલ તેની દીકરી ગીતાબેન જે હાલ વાવી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર ખાતે રહેતી હોવાનુ જાણવા મળતા  નોમલીબેનને ક્વાંટ પોલીસ તથા સી ટીમ સાથે રાખી તેની દિકરી ગેતાબેનના ઘરે વાવી ગામ ખાતે જઈને તેને સોપેલ છે આમ ક્વાંટ પોલીસ દ્વારા માનવતા દાખવી
 
 દિકરી ગીતાબેન સાથે મિલન કરાવી માનવતા નું ઉદાહરણ આપ્યું છે


- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી-

(૧) પો.સ.ઇ. શ્રી સી.એમ.ગામીત (ર) અ.હે.કો. હસમુખભાઇ કલ્યાણભાઇ (૩) અ.પો.કો. અશોકભાઇ વજેસિંહભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.

અહેવાલ: ઇમરાન મિર્ઝા

 



Tuesday, January 17, 2023

છોટાઉદેપુરમાં નવીન બની રહેલ ઓવરબ્રિજનું વાહનચાલકોએ જાતેજ લોકાર્પણ કરી નાખ્યું.

17/01/2023

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેશન વિસ્તારમાં રેલવે ફાટકના અડધા-અધૂરા બ્રિજ ના કારણે પ્રજાને આવવા-જવામાં હાલાકી નો સામનો ભોગવવો પડી રહ્યોં હતો, જેના કારણે વાહન ચાલકોએ તંત્ર દ્રારા લોકાર્પણ થાય તે પહેલાજ ઓવરબ્રિજ ઉપરથી વાહનોની હેરાફેરી શરૂ કરી નાખી.


છોટાઉદેપુર જિલ્લાની હાઇવે નંબર 62 ઉપર થી રેલવે ફાટક નંબર 101 પથરાયેલી છે, જેના ઉપરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે, જેના કારણે અનેકવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હતી, આ ટ્રેક ઉપર ઓવરબ્રિજ બને તે માટે પ્રજા દ્રારા અવાર-નવાર માંગ ઉઠવા પામી હતી, અંતે પ્રજા અને વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત લાવવા માટે તંત્ર દ્રારા પોલીસ સ્ટેશન થી વસેડી ગામ સુધી ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

 
જેના કારણે છોટાઉદેપુરને દેવગઢ બારીયા, દાહોદ અને ગોધરા જેવા મુખ્ય મથકોને જોડતો આ માર્ગ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકો દોઢ થી બે કિમિ. દૂર ગરનાળા માંથી થઈને અવર-જવર કરવા મજબુર બન્યા હતા, તેમજ અન્ય ભારદારી વાહનોને બીજા સિંગલ રોડ થઈને જતા લગભગ 10 થી 12 કિમિ. વધુ અંતર કાપવું પડી રહ્યું હતુહતુ
અંતે ઓવરબ્રિજનું બાંધકામ લગભગ સંપૂર્ણ થવા માંજ હતું કે વાહન ચાલકોનું સબર નું બાંધ તૂટી ગયું અને તંત્ર દ્રારા ઓવરબ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાજ બ્રિજ ઉપર વાહનો દોડતા થઈ ગયા.

"અર્બન મેટ્રો ન્યુઝ"
અહેવાલ: યાકુબરઝા
છોટાઉદેપુર


📝✒️📰🗞️📰✒️📝
 

Monday, December 19, 2022

છોટાઉદેપુરમાં એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ લાઈબ્રેરી ખાલી ન કરાવવા આવેદનપત્ર આપ્યું.

તા.19/12/2022

છોટાઉદેપુરમાં સ્થિત નગરપાલિકા દ્રારા એસ.એફ.હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ બિલ્ડીંગને સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેના સંદર્ભે આજરોજ એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું,છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ઉત્થાન કેન્દ્ર લાઈબ્રેરી કાર્યરત છે, જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચન કરવા માટે આવે છે, પરન્તુ જેતે બિલ્ડીંગને નગરપાલિકા દ્રારા સાત દિવસમાં ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, જેથી એસ.એફ.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજરોજ નગરપાલિકામાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવેલ કે અમોને સાત દિવસ ની જગ્યાએ ત્રણ મહિનાની મુદ્દત આપવામાં આવે અને અમારી તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી અમોને લાઈબ્રેરી માટે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તેવી અરજી કરી હતી.

રિપોર્ટ: પઠાણ યાકુબરઝા, છોટાઉદેપુર




📝✒️📰🗞️📰✒️📝

 

Monday, December 5, 2022

છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનું રસપ્રદ મતદાન

 

5 મી ડિસેમ્બરે ગુજરાતમાં યોજાનાર બીજા તબક્કાનું મતદાન અંતયંત રસપ્રદ જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ અને ભાજપ ની જંગમાં આમ આદમી પાર્ટી જોડાતાં ત્રિપાંખિયા જેવી સ્થિતિ ઉદ્ભવી છે, ત્યારે આ જંગમાં કોણ કોની સીટ તોડશે અને કોણ કોની સીટ પર કબજો જમાવશે તેવી લોકચર્ચા અંતયંત રસપ્રદ વિષય બની જવા પામી છે. 


ચુટણી એ લોકશાહીનું ધબકતું હૃદય છે અને તેમાં મત આપવો એ દરેક નાગરિકની ફરજ છે,
આજે સવારે 8 વાગ્યા થીજ છોટાઉદેપુરમાં લોકો પોતપોતાના બુથ ઉપર તેમની નાગરિકતાની ફરજ નિભાવવા એટલેકે મતદાન કરવા હાજર થઈ ગયા હતા, જેમ-જેમ લોકો ગાડીઓ અને રિક્ષાઓમાં મતદાન કરવા દોટ મૂકી રહ્યા હતા તેમ-તેમ અન્ય લોકોમાં પણ કુતુહલ સર્જાઈ રહ્યું હતું.


આ મતદાનમાં તમામ રાજકીય પક્ષોએ પણ પોતાનું મત આપીને પોતાનું નામ નોંધાવ્યું હતું.

આ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ નાગરિકોને રીઝવવા પોતાના પ્રચાર અને પ્રસાર માટે એડી થી ચોટી સુધીનો જોર લગાવી દીધો હતો,  


આ છોટાઉદેપુર-137 વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધી લગભગ 25 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સાંજના 5 વાગ્યા સુધીનું કુલ 56.67 ટકા મતદાન થયુ હતું.

હવે ગુજરાતમાં શું પરિવર્તન આવશે અને કોનો ભાવિ વિકાસ રંગ જમાવશે એ 8મી ડિસેમ્બરના પરિણામ પછીજ  જોવા મળશે.

રિપોર્ટ: યાકુબરઝા
છોટાઉદેપુર
9173506392
📝✒️📰🗞️📰✒️📝

Sunday, November 6, 2022

ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ડુપ્લીકેટ ચેક બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

આરોપી કીષ્ણાકુમાર અમરદાસભાઇ રાઠવા. રહે. મુંડામોર તા. કવાટ, જી. છોટાઉદેપુર નાને ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો તથા ગુગલ થી ડાઉનલોડ કરી પ્રિન્ટેડ ડુપ્લીકેટ ચેક બનાવવા તેમજ તેઓએ સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળા રહે-કવાંટ વાળા પાસેથી લિધેલ હુન્ડાઇ વરના ગાડી નાં  રૂપિયા આપવાના બદલે ડુપ્લીકેટ નોટો અને ડુપ્લીકેટ ચેક સાચા તરીકે પધરાવવાના ગુન્હામાં ઝડપી પાડવામાં આવ્યો.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્રારા શ્રી અધિક પોલીસ મહાનિદેશક શ્રી એ.ટી.એસ. ગુજરાત રાજ્ય અમદાવાદ તથા શ્રી સંદિપ સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી જે.પી. મેવાડા સાહેબની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એચ. વાઘેલા સાહેબે એસ.ઓ.જી. ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી માહીતી મળેલ કે આરોપી નામે કીષ્ણાકુમાર અમદાસભાઇ રાઠવા ઉ.વ ૨૨ રહે. મુંડામોર નિશાળ ફળીયા તા.કવાંટ જી, છોટાઉદેપુર બનાવટી ભારતીય ચલણી નોટો ઇલેક્ટ્રોનીક કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા મોબાઇલ વડે અથવા અન્ય કોઈ સાધન વડે ભારતીય ચલણી નોટો છાપી પ્રીન્ટ કાઢી તેણે છાપેલ નોટોનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ તેઓએ સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળા રહે-કવાંટ વાળા પાસેથી લિધેલ હુન્ડાઇ વરના ગાડી રજી.નં. GJ-22-A-7771ની રૂપીયા ૨,૫૦,૦૦૦/- મા વેચાણ રાખી તેના રૂપીયા આપવાના બદલે પોતે પોતાના મોબાઇલ ફોનમા ગુગલ ઉપરથી એક ચેક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢવા માટે સૈડીવાસણ ચોકડી ખાતે આવેલ ઓનલાઈનનુ કામ કરતા સંદિપભાઇ રાઠવાને તેના ફોનમાંથી વ્હોટસએપ કરી પ્રિન્ટ કઢાવી તે બનાવટી ચેકનો સાચા તરીકે ઉપયોગ કરવા માટે સાહેદ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ કંસારા સમોસાવાળાને આપી તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હોય જે અંગે પાનવડ પોલીસ સ્ટેશને ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહિ એસ.ઓ.જી. છોટાઉદેપુર કરી રહેલ છે.
આ ગુનાની તપાસ દરમ્યાન હજુ ઘણા ભેદ ખુલે તેવી શકયતા છે.

પકડાયેલ ઇસમ (૧) કીષ્ણાકુમાર અમરદાસભાઇ રાઠવા ઉ.વ. ૧૯ રહે. રંગપુર આનંદ નિકેતન આશ્રમ,
તા. કવાંટ, મુળ રહે. મુંડામોર તા. કવાટ, જી. છોટાઉદેપુર

કબ્જે કરેલ મુદ્દામાલ (૧) રૂ.૧૦૦-૧૦૦ ના દરની ભારતીય ચલણી નોટો નંગ- તથા (૨) કોમ્પ્યુટર (૩) પ્રિંટર

નંગ -૩ કિ.રૂ.૧૭૦૦૦/- (૪) ચલણી નોટો બનાવવા ઉપયોગમા લેવાયેલ સફેદ કોરા કાગળો (૫) મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૬) આધાર કાર્ડ (૭) પાનકાર્ડ (૮) બનાવટી ચલણી નોટો કાપવાની કાતર

કામગીરી કરનાર:
SOG I/C પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી.ડી.એચ. વાધેલા, ASI નિતેષભાઈ રાયસીંહ, ASI ભાવસીંગભાઇ બનીયાભાઇ, ASI રઘુવીરભાઇ દિલીપભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષમણભાઇ, HC મિનેષભાઇ નારસીંગભાઇ, HC રમેશભાઇ કંદુભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, HC મહેશભાઇ રજુભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ, PC સુરેશકુમાર ખુમાનસિંહ, PC વિજયભાઇ કાળાભાઇ તથા HC પ્રવિણભાઇ તેરીયાભાઇ તથા WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ, WPC હિરલબેન અમુભાઇ નાઓ જોડાયેલ હતા.

રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝

છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ

છોટાઉદેપુરમાં આચાર સંહિતા લાગુ થયા પછી ઘણી જગ્યાઓ ઉપર રાજકીય પક્ષોના બેનરો હટાયાવા અને પેન્ટિંગ પર કૂચડા ફેરવવામાં આવ્યા, પણ ઘણી જગ્યા તંત્રને ધ્યાને આવ્યું નહીં હોય તેમ લાગી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી જાહેર થયા પહેલા પાર્ટીના બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ  તથા ચૂંટણી જાહેર  થતાં  નિયમ પ્રમાણે ઉતારી લેવાના હોય તથા દીવાલો પર લગાડેલા પોસ્ટરો પેન્ટિંગ હટાવી ઉતારી  લેવાના હોય જે હજુ પણ યથાવત હાલતમાં છે, આદર્શ આચાર સહિતનો છડે ચોક ભંગ થતો હોય તેમ જણાઈ રહ્યું છે, તથા છોટાઉદેપુર નગરમાં તથા જિલ્લામાં સમગ્ર અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ રાજકીય પાર્ટીઓના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે, પરંતુ તંત્રના ધ્યાને આવ્યું હોય તેમ હજુ લાગતું નથી.


હાલમાં બે દિવસ અગાઉ ચૂંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી, સમગ્ર વહીવટી તંત્ર  તથા પોલીસ ખાતું ચૂંટણીની કામગીરીમાં જોતરાઈ ગયું છે, ત્યારે ચુંટણી પ્રકીયા  દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર પણ સચેદ થઈ ગયું છે, પરંતુ છોટાઉદેપુર પંથકમાં આચાર સંહિતા લાગુ થતા ઘણા જાહેર જગ્યાઓ ઉપર રાજકીય પક્ષોના બેનર પેઇન્ટિંગો લાગેલા હોય આચાર સંહિતાનો ભંગ થઈ રહયો હોઇ તેમ જોવાઇ રહ્યું છે.  શું તંત્ર દ્રારા પણ વ્હાલા દવલાની  નીતિ અપનાવામાં આવતી હશે ? તેમ પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે.


"અર્બન મેટ્રો ન્યુઝ"
રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝

 

Tuesday, October 18, 2022

છોટાઉદેપુર પશુ ચિકિત્સાલય અબોલા પશુઓ માટે વરદાન રૂપ.

વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સંચાલિત શરૂ કરવામાં આવેલ છોટાઉદેપુરનું પશુ ચિકિત્સાલય મરઘાં થી લઈને મોટા અબોલા પશુઓ માટે એક વરદાનરૂપ સાબિત થયું છે.

છોટાઉદેપુર જિલ્લાની આસપાસ 100 કરતા વધુ ગામો આવેલા છે, જેમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ખેતી કામ માટે દરેક ખેડૂતો પશુઓ પાળતા જ હોય છે, અને તે સિવાય પણ પશુ પ્રેમીઓ મરઘાં થી લઈને ઘોડા તેમજ દુધાળા પશુઓ ઉછેરતા હોય છે, આવામાં જો કોઈ પશુને કોઈ બીમારી લાગે કે કોઈક વાહન દ્રારા અકસ્માત થાય તો તરતજ લોકો છોટાઉદેપુર ખાતે આવેલ પશુ ચિકિત્સાલયમાં તેમના પશુને લઈને દોડી આવે છે, આ ચિકિત્સાલયમાં એકપણ રૂપિયો ફિસ લીધા વગર ડોકટરો અને તેમના સહયોગીઓ દ્રારા નિઃસ્વાર્થતા થી વર્ષોથી સેવાઓ આપી રહયાં છે,


જો મોંઘાદાટ પશુ લાવ્યા બાદ તેને કોઈ ગંભીર રોગ થાય તો પશુપાલકનું આખું ઘર તેની સારવારના ખર્ચામાં હેરાન થઇ જાય છે. એવામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલ આ મફત ચિકિત્સા પશુપાલકોમાં અઢળક પ્રશંસા પામી રહી છે.
તે સિવાય જે પશુઓ અહીંયા લાવવામાં સક્ષમ ન હોય તેવા પશુઓ માટે ઘર બેઠા પણ આ પશુ સેવા પુરી પાડવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે.




"અર્બન મેટ્રો ન્યુઝ"
રિપોર્ટર: યાકુબરઝા
છોટાઉદેપુર
📝✒️📰🗞️📰✒️📝